નિદ્રાના સંબંધમાં કેટલાક આચાર અને તે પાછળનું શાસ્ત્ર
શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.