નવું વસ્ત્ર પહેલી વાર પરિધાન કરવું

‘કપડાં ધોવાથી તેમાંની રજ-તમ લહેરો અને કાળી શક્તિ ઓછી થાય છે. ધોયેલા કપડાંને વિભૂતિ લગાડવાથી અથવા કપડાંમાં ઉદબત્તીના ટુકડા રાખવાથી તેમનામાંનું ચૈતન્‍ય અને સુગંધનું પરિણામ કપડાં પર થઈને કપડાંમાંની કાળી શક્તિ અને રજ-તમ નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

કપડાં પરની વેલ-બુટ્ટી (કોતરણી)

સર્વસામાન્‍ય માનવીની પ્રકૃતિ તારક હોવાથી તેને મારક તત્ત્વનો ત્રાસ થવાની શક્યતા હોય છે. કપડાં પરની આડી રેખાઓમાંથી મારક તત્ત્વ પ્રક્ષેપિત થતું હોવાથી તેના દ્વારા ત્રાસ થવાની સંભાવના હોવાથી આડી રેખા ધરાવતાં કપડાં પહેરવા નહીં.

જમવાની કેટલીક વાનગીઓ , તેનું મહત્ત્વ અને જમવાના કેટલાંક નિયમો

પથારી ભૂમિ સાથે સંલગ્ન હોવાથી પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોને કારણે પથારી ભારિત થાય છે. એકાદ જીવ જ્યારે તેના પર બેસે છે, ત્યારે તેના મનમાં ચાલી રહેલા અસંખ્ય વિચારોના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારા રજ-તમયુક્ત લહેરોનું આવરણ તેના દેહ ફરતે બને છે.

કચરો ક્યારે અને કેવી રીતે વાળવો ?

પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્‍વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્‍ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.

અલંકારોમાં રહેલા વિવિધ રત્નોનું શરીર પર થનારું પરિણામ

‘અલંકારમાં રહેલી ધાતુ અથવા રત્નો એ પંચતત્ત્વોની સહાયતાથી તેની અલંકારિક પદ્ધતિ પ્રમાણે ઘડાવેલી આકારરચનાના પ્રમાણમાં દેવત્‍વદર્શક લહેરો જીવના ભાવ પ્રમાણે ગ્રહણ કરીને તે આવશ્‍યકતા પ્રમાણે પ્રક્ષેપિત કરે છે.

પુરુષોના અલંકાર

પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ બાવડા અને કાંડામાં રુદ્રાક્ષની બંધનમાળા પહેરતા. આ માળા હાથના બિંદુઓ પર આવશ્‍યક તેટલું દબાણ આપીને શરીરને બળવર્ધક રહેલી અને કાર્યને સ્‍ફૂર્તિ આપનારી એવી શક્તિ શરીરમાં સંક્રમિત કરતી અને કાર્યના ઉતાવળાપણને અંકુશમાં રાખતી.’

સ્‍ત્રીઓના અલંકાર

‘વ્‍યક્તિ પોતાના વ્‍યક્તિમત્ત્વને પૂરક એવા અલંકારોની વરણી કરે છે. સાત્ત્વિક વ્‍યક્તિ સાત્ત્વિક અલંકારોની, રાજસિક વ્‍યક્તિ રાજસિક અલંકારોની, જ્‍યારે તામસિક વ્‍યક્તિ તામસિક અલંકારોની વરણી કરે છે.

વ્‍યાયામ અને યોગાસનોનું માનવી જીવનમાં મહત્ત્વ !

સાધના કરવા માટે અને આપત્‍કાળની દૃષ્‍ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્‍યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્‍યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.

મનઃશાંતિ અને નિરોગી જીવન પ્રદાન કરનારી યોગવિદ્યા !

પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્‍નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્‍ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્‍ટ કરવો નહીં.

શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !

ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્‍યંત આવશ્‍યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.