માંસાહાર

પ્રોટીન જોઈએ છે ને ! દૂધ, માખણ, છાસ, મલાઈ અને ઘીમાં પુષ્‍કળ પ્રોટીન છે. અનાજમાં ઘણા જીવનસત્ત્વો છે. પછી પશુઓને શા માટે મારી નાખો છો ? પૃથ્‍વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્‍ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે.’

શાકાહાર પર ટીકા-ટિપ્‍પણી અને તેનું ખંડન

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવા માટે શાકાહારી બનવું જ જોઈએ, એવું અત્‍યાવશ્‍યક નથી; પણ શાકાહારને કારણે વ્‍યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ એ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે મહત્ત્વનો હોય છે. તેમ જ આપણે ક્યા માર્ગથી સાધના કરીએ છીએ, તેના પર પણ શાકાહારનું મહત્ત્વ આધારિત હોય છે.

નાસ્‍તાની વસ્‍તુઓ રાખવા માટે છાપાંનો ઉપયોગ કરવો આરોગ્‍ય માટે જોખમકારી

માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્‍તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.

કૃત્રિમ ઠંડાપીણાંનાં દુષ્‍પરિણામ

સ્‍વાસ્‍થ્‍યની દૃષ્‍ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્‍લ (એસિડ), તેમજ અન્‍ય રસાયણો હોય છે.

વિષમ આહાર યોગ્‍ય કે અયોગ્‍ય ?

વિષમ આહાર લીધા પછી તેનાં દુષ્‍પરિણામ તરત જ દેખાતાં નથી. ઘણાં દિવસ અથવા મહિના થયા પછી આગળ જણાવેલાં પરિણામ અને રોગ થવાની સંભાવના છે.

નિરોગી શરીર માટે નિયમ – વિરુદ્ધ આહાર લેવાનું ટાળો !

જમ્‍યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે.

ચતુર્વિધ આહાર (આયુર્વેદનો પાકમંત્ર) !

ભોજન પહેલાં કોઈપણ દ્રવપદાર્થ વધારે પ્રમાણમાં પીવો નહીં. તેને કારણે ભૂખ ઓછી થાય છે. જમ્‍યા પછી પણ મોટા પ્રમાણમાં દ્રવ પદાર્થોનું સેવન ન કરવું. તેમ કરવાથી અન્‍નનું પાચન સરખું થતું નથી; તેથી જમતી વેળાએ જ આહારમાં દ્રવપદાર્થોનો સમાવેશ કરવો.

આયુર્વેદ : આહાર ક્યારે અને કેવી રીતે લેવો ?

પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્‍તિ થાય, ત્‍યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્‍ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.

જમવાની કેટલીક વાનગીઓ , તેનું મહત્ત્વ અને જમવાના કેટલાંક નિયમો

પથારી ભૂમિ સાથે સંલગ્ન હોવાથી પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોને કારણે પથારી ભારિત થાય છે. એકાદ જીવ જ્યારે તેના પર બેસે છે, ત્યારે તેના મનમાં ચાલી રહેલા અસંખ્ય વિચારોના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારા રજ-તમયુક્ત લહેરોનું આવરણ તેના દેહ ફરતે બને છે.

‘પ્રેશર-કુકર’ અને ‘માયક્રોવેવ ઓવન’ જેવા યંત્રો દ્વારા ઓછા સમયમાં અન્‍ન રાંધવાની પદ્ધતિઓનાં આહાર પર દુષ્‍પરિણામ !

આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્‍નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્‍નથી મન બને છે.  જો અન્‍ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.