ઓતુર (પુણે) ખાતેના શ્રી કપર્દિકેશ્‍વર મંદિરની જાત્રાની વિશિષ્‍ટતા

ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્‍વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્‍યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે.

ઉત્તરાખંડ ખાતેના કસારદેવી મંદિરના ક્ષેત્રમાંની ભૂ-ગર્ભીય લહેરોનું નાસા દ્વારા સંશોધન !

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્‍થા નાસાના શાસ્‍ત્રજ્ઞ આ ક્ષેત્રનું સંશોધન કરી રહ્યા છે. આ ચુંબકીય પથ્‍થરના થરની ચુંબકીય લહેરોનું માનવીના મગજ ઉપર શું પરિણામ થાય છે, એનો આ શાસ્‍ત્રજ્ઞ અભ્‍યાસ કરી રહ્યા છે.

ધનુષકોડી

ધનુષકોડીની ભીષણ વાસ્‍તવિકતા પ્રત્‍યક્ષ નિહાળ્‍યા પછી સર્વ પક્ષોના રાજ્‍યકર્તાઓએ ભારતીય તીર્થક્ષેત્રો ભણી કેવું દુર્લક્ષ સેવ્‍યું છે, એ ધ્‍યાનમાં આવે છે. કાશીને સ્‍માર્ટ સિટી બનાવવાની ઘોષણા કરનારાં ભારતના વિકાસ પુરુષો કાશીની યાત્રાને પૂર્ણત્‍વ પ્રદાન કરનારા ધનુષકોડી નગરને પણ ન્‍યાય આપશે કે કેમ ?, એ પ્રશ્‍ન જ છે.

જ્‍યોતિર્લિંગોનાં સ્‍થાનો અને મહત્ત્વ

શિવની પૂજા બ્રાહ્મણે વિસર્જન કરવાની ન હોય, એટલે કે મૂર્તિ પરથી નિર્માલ્‍ય (ચઢાવેલાં ફૂલો) કાઢવાનું ન હોય; તેથી શિવના દેવાલયમાં ગુરવ હોય છે અને પાર્વતીના દેવાલયમાં ભોપી (દેવીનો પૂજારી) હોય છે. શિવપિંડી પરનું નિર્માલ્‍ય કાઢવાનું ન હોય.

પૌરાણિક ઇતિહાસ ધરાવતું માળવા (મધ્‍યપ્રદેશ) ખાતેનું વિશ્‍વવિખ્‍યાત ‘બાબા વૈજનાથ મહાદેવ મંદિર’ !

વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્‍કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન  હોય એવી માળવા ક્ષેત્રમાં જવલ્‍લેજ કોઈ વ્‍યક્તિ હશે. આ મંદિરમાં ૧૩૦ વર્ષોથી પ્રત્‍યેક વર્ષે બે વાર (કાર્તિક અને ચૈત્ર માસમાં) પારંપારિક પદ્ધતિથી જાત્રા ભરાય છે.

શ્રીરામ અવતાર થવા માટે ‘પુત્ર કામેષ્‍ટિ’ યાગ કરનારા શૃંગીઋષિના બાગી (હિમાચલ પ્રદેશ) ખાતેની તપોભૂમિ

‘વાલ્‍મીકિ રામાયણમાં ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્‍ટિ યાગ’નો ઉલ્‍લેખ છે. આ યાગ સૌથી કઠિન છે. યાગ તેના અંતિમ તબક્કામાં હતો ત્‍યારે સર્વ દેવતા વૈકુંઠમાં શ્રીવિષ્‍ણુ પાસે જઈને કહે છે, ‘હે ભગવાન, હવે આપને માટે રાવણાસુરના વધ હેતુ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’

શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુરનો મહિમા

આ ક્ષેત્રમાં નૃસિંહનું કાયમ રહેઠાણ હોય છે. કેવળ મંદિરનાં દર્શન માત્રથી ચારે પુરુષાર્થની પ્રાપ્‍તિ થાય છે અને અંતે ભક્તને વૈકુંઠ પ્રાપ્‍ત થાય છે. આ સ્‍થાન પૃથ્‍વીનું નાભિસ્‍થાન છે.

કાંચીપુરમ (તામિલનાડુ) ખાતેના દેવદર્શનનો વૃત્તાંત !

આપણા ધર્મગ્રંથોમાં ‘કાશી’ અને ‘કાંચી’, એ શિવના બે નેત્રો છે,’ એમ કહેવાય છે. પૃથ્‍વી પરની મોક્ષ પ્રદાન કરનારી સપ્‍તપુરી, એટલે કાશી, અયોધ્‍યા, મથુરા, દ્વારકા, કાંચી, ઉજ્‍જૈન અને હરિદ્વાર. એમાંથી ‘કાંચીપુરમ’ એક છે. કાંચીપુરમને ‘ભૂકૈલાસ’, એમ પણ કહેવાય છે.

દુખિયારા લોકોના દુ:ખનું નિવારણ કરનારું સાંખળી, ગોવા સ્થિત દત્ત દેવસ્થાન !

ગોવાની રાજધાની પણજીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે સાંખળી શહેર વસ્‍યું છે. સાંખળી શહેરમાં પ્રવેશ કરતી વેળા પ્રથમ જેને પ્રતિપંઢરપુર કહેવામાં આવે છે, તે રેતીવાળા કાંઠે વસેલું વિઠ્ઠલ મંદિર આવે છે.

શ્રી ક્ષેત્ર દત્તવાડી, કેપે, ગોવા ખાતે શહેરના મધ્‍યવર્તી ઠેકાણે આવેલું શ્રી દત્ત મંદિર

આ સ્‍થાનનો મુખ્‍ય ઉત્‍સવ એટલે ગુરુચરિત્ર સપ્‍તાહ અને શ્રી દત્તજયંતી. મહા વદ એકમ સુધી ચાલનારું ગુરુચરિત્ર સપ્‍તાહ એ અહીંની એક વિશિષ્‍ટતા છે.