શિવપિંડીના પ્રકાર, પૂજા અને તેની પ્રદક્ષિણા
શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે.
શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે.
શિવજીનું તાંડવનૃત્ય જ્યાં સુધી લયબદ્ધ હોય છે, ત્યાં સુધી સૃષ્ટિ પરનો કારભાર પણ વ્યવસ્થિત ચાલુ હોય છે. શિવજીનું બેભાન તાંડવનૃત્ય એ શિવજીના અંતશક્તિનું રૂપ છે.
૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે.
ઉપનયનમાં ઉપ અને નયન એ રીતે બે શબ્દ છે. ઉપ શબ્દનો અર્થ ‘પાસે’ અને નયન શબ્દનો અર્થ ‘લઈ જવું’ એવો છે. તે માટે જ ઉપનયન એટલે અંત:ચક્ષુ. જે વિધિથી અંત:ચક્ષુ ખુલવાની શરૂઆત થાય છે, મદદ થાય છે, તેને ઉપનયન કહેવાય છે.
હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.
ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યધિક આદર શા માટે હોય છે ? ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.
ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ એક જ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને પૂર્ણાવતાર એમ કહ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડવું.શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું.
શિષ્યની સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનામાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે. તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે.