શ્રીરામ અવતાર થવા માટે ‘પુત્ર કામેષ્‍ટિ’ યાગ કરનારા શૃંગીઋષિના બાગી (હિમાચલ પ્રદેશ) ખાતેની તપોભૂમિ

‘વાલ્‍મીકિ રામાયણમાં ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્‍ટિ યાગ’નો ઉલ્‍લેખ છે. આ યાગ સૌથી કઠિન છે. યાગ તેના અંતિમ તબક્કામાં હતો ત્‍યારે સર્વ દેવતા વૈકુંઠમાં શ્રીવિષ્‍ણુ પાસે જઈને કહે છે, ‘હે ભગવાન, હવે આપને માટે રાવણાસુરના વધ હેતુ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’

મલેશિયા ખાતેનું બટુ ગુફામાં આવેલું ભગવાન કાર્તિકેયનું વિશ્‍વપ્રસિદ્ધ જાગૃત મંદિર !

માતા પાર્વતીએ કર્તિક ભગવાનને જે દિવસે ‘વેલ’ આયુધ આપ્‍યું, તે દિવસ એટલે તાયપુસમ્. આ દિવસના સ્‍મરણાર્થે પ્રત્‍યેક વર્ષે બટુ ગુફામાંના કાર્તિકેય મંદિરમાં અહીંના હિંદુઓ ‘તાયપૂસમ્’ ઉત્‍સવ ઊજવે છે.

શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુરનો મહિમા

આ ક્ષેત્રમાં નૃસિંહનું કાયમ રહેઠાણ હોય છે. કેવળ મંદિરનાં દર્શન માત્રથી ચારે પુરુષાર્થની પ્રાપ્‍તિ થાય છે અને અંતે ભક્તને વૈકુંઠ પ્રાપ્‍ત થાય છે. આ સ્‍થાન પૃથ્‍વીનું નાભિસ્‍થાન છે.

નખ કયા વારે કાપવા, તેની પાછળનો જ્‍યોતિષશાસ્‍ત્રીય દૃષ્‍ટિકોણ

અહંકાર વધે કે, સદ્‌સદ્‌વિવેકબુદ્ધિ લોપ પામે છે. વર્તમાનના સ્‍પર્ધાયુક્ત ધાંધલધમાલના જીવનમાં સાત્ત્વિકતા ટકાવી રાખવા માટે નાનામાં નાની કૃતિ શાસ્‍ત્ર અનુસાર કરવાથી નિશ્‍ચિત  જ લાભ થાય છે.

શિવજી અને તેમનાં વિવિધ નામો

શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.

ઇંડોનેશિયાના સુમાત્રા બેટ (દ્વીપ) પર કપૂરનાં વૃક્ષોના શોધમાં કરેલો ખડતર પ્રવાસ

આ પ્રવાસ દ્વારા મારા મન પર એક સૂત્ર અંકિત થયું, સર્વ ઈશ્‍વરેચ્‍છાથી જ થાય છે. પ્રત્‍યેક ક્ષણ પૂર્વનિયોજિત છે. કાળના તે પ્રવાહમાં સ્‍વયંને ભૂલીને ઈશસ્‍મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો, એ જ સાચી સાધના છે. ખરું જોતાં આપણું કાંઈ જ અસ્‍તિત્‍વ નથી. આપણે ઈશ્‍વરનું નામસ્‍મરણ કરીએ છીએ અને આપણું ધ્‍યેય ઈશ્‍વરપ્રાપ્‍તિ છે. સાધ્‍ય એટલે ઈશ્‍વરપ્રાપ્‍તિ અને સાધન એટલે નામસ્‍મરણ.

કાંચીપુરમ (તામિલનાડુ) ખાતેના દેવદર્શનનો વૃત્તાંત !

આપણા ધર્મગ્રંથોમાં ‘કાશી’ અને ‘કાંચી’, એ શિવના બે નેત્રો છે,’ એમ કહેવાય છે. પૃથ્‍વી પરની મોક્ષ પ્રદાન કરનારી સપ્‍તપુરી, એટલે કાશી, અયોધ્‍યા, મથુરા, દ્વારકા, કાંચી, ઉજ્‍જૈન અને હરિદ્વાર. એમાંથી ‘કાંચીપુરમ’ એક છે. કાંચીપુરમને ‘ભૂકૈલાસ’, એમ પણ કહેવાય છે.

સમર્થ રામદાસસ્‍વામી અને હનુમાનજીની કથા દ્વારા પ્રતીત થનારો સદ્‌ગુરુ મહિમા

ત્રિલોકમાં સદ્‌ગુરુ જ શ્રેષ્‍ઠ છે. તેમના કૃપાશીર્વાદ વિના કોઈપણ કાર્ય થઈ શકે જ નહીં. શ્રીરામના આશીર્વાદ વિના સીતામાતાની શોધ લેવી અથવા લંકામાં જવું સંભવ નહોતું. અંતે શું, તો ઈશ્‍વર એ જ સદ્‌ગુરુ અને સદ્‌ગુરુ એ જ ઈશ્‍વર !

દુખિયારા લોકોના દુ:ખનું નિવારણ કરનારું સાંખળી, ગોવા સ્થિત દત્ત દેવસ્થાન !

ગોવાની રાજધાની પણજીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે સાંખળી શહેર વસ્‍યું છે. સાંખળી શહેરમાં પ્રવેશ કરતી વેળા પ્રથમ જેને પ્રતિપંઢરપુર કહેવામાં આવે છે, તે રેતીવાળા કાંઠે વસેલું વિઠ્ઠલ મંદિર આવે છે.

શ્રી ક્ષેત્ર દત્તવાડી, કેપે, ગોવા ખાતે શહેરના મધ્‍યવર્તી ઠેકાણે આવેલું શ્રી દત્ત મંદિર

આ સ્‍થાનનો મુખ્‍ય ઉત્‍સવ એટલે ગુરુચરિત્ર સપ્‍તાહ અને શ્રી દત્તજયંતી. મહા વદ એકમ સુધી ચાલનારું ગુરુચરિત્ર સપ્‍તાહ એ અહીંની એક વિશિષ્‍ટતા છે.