શ્રીરામ અવતાર થવા માટે ‘પુત્ર કામેષ્ટિ’ યાગ કરનારા શૃંગીઋષિના બાગી (હિમાચલ પ્રદેશ) ખાતેની તપોભૂમિ
‘વાલ્મીકિ રામાયણમાં ‘બાલકાંડ’માં ‘શૃંગીઋષિ’ અને ‘પુત્રકામેષ્ટિ યાગ’નો ઉલ્લેખ છે. આ યાગ સૌથી કઠિન છે. યાગ તેના અંતિમ તબક્કામાં હતો ત્યારે સર્વ દેવતા વૈકુંઠમાં શ્રીવિષ્ણુ પાસે જઈને કહે છે, ‘હે ભગવાન, હવે આપને માટે રાવણાસુરના વધ હેતુ અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે.’