શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ

શ્રાવણ મહિનામાં પ્રત્‍યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્‍ન થાય છે અને શિવસાયુજ્‍ય મુક્તિ મળે છે.

શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

અધ્‍યાત્‍મમાંના શાસ્‍ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્‍પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્‍યાનમાં આવશે.

શિવજીનાં વિવિધ રૂપો

ભૂતનાથ આ વેતાળના વર્ગમાં આવેલા એક ક્ષુદ્રદેવ છે. ગોમંતકમાં એના દેવસ્‍થાનો છે. આ મધ્‍યરાત્રે પોતાના સૈનિકો સાથે સંચાર કરવા માટે નીકળે છે. તે સમયે તેમના હાથમાં એક ડંડો અને ખભા પર ધાબળો હોય છે, એવું કહેવાય છે. તે પગપાળા ભ્રમણ કરે છે; એટલા માટે તેમના પગના પગરખાં ઘસાઈ જાય છે, આ સમજણને કારણે મહારાષ્‍ટ્ર સ્‍થિત સાવંતવાડી વિસ્‍તારના લોકો તેમને પ્રત્‍યેક મહિને નવા પગરખાં અર્પણ કરે છે.’

શિવજીનું કાર્ય

સત્ત્વ, રજ અને તમ આ ત્રણેયને, એટલે જ અજ્ઞાનને, શિવ એકસાથે નષ્‍ટ કરે છે.

શિવજી અને તેમનાં વિવિધ નામો

શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.

મહાશિવરાત્રિ

ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.

‘ભસ્મ’ – શિવજીની ઉપાસનાનું એક આવશ્યક ઘટક

આ શબ્દમાં રહેલો ‘ભ’ એટલે ‘ભર્ત્સનમ્’ અર્થાત્ ‘નાશ થવો’.   ‘ભસ્મ’ આ શબ્દમાં રહેલો ‘સ્મ’ એટલે સ્મરણ. ભસ્મને કારણે પાપોનું નિર્દાલન થઈને ઈશ્વરનું સ્મરણ થાય છે.

શિવજી, નટરાજ અને તાંડવનૃત્ય

શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા.