દેવીનું માહાત્‍મ્‍ય !

તુળજાપુરના શ્રી ભવાનીદેવી હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા. જય ભવાની અને હર હર મહાદેવ એવી ઘોષણા કરતા રહીને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માવળાઓ શત્રુ સાથે યુદ્ધ કરતા હતા. શત્રુ સાથે લડવા માટેજ શ્રી ભવાની માતાએ પ્રસન્‍ન થઈને શિવાજી મહારાજને ભવાની તલવાર પ્રદાન કરી હતી.

શક્તિપીઠોનું મહત્ત્વ

‘કોલ્‍હાપુર ખાતેનું શ્રી મહાલક્ષ્મીદેવી આ શક્તિપીઠ છે. શક્તિપીઠ એટલે ભૂલોકમાંના વિશિષ્‍ટ સ્‍થાન પર અવતીર્ણ થયેલી નિર્ગુણ સ્‍તર પરની ચૈતન્‍યદાયી શક્તિ છે. શક્તિપીઠ એટલે ભૂતલ પરનો સાક્ષાત ઈશ્‍વરી શક્તિનો અખંડ વહેનારો સ્રોત છે.

શુંભ અને નિશુંભ આ અજેય અસુરોનો નાશ કરીને ત્રિલોકમાં શાંતિ પ્રસ્‍થાપિત કરનારાં પાર્વતીસુતા કૌશિકીદેવી !

શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્‍યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્‍પવૃષ્‍ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્‍યા.

ગાયત્રીદેવીનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ અને તેમની ગુણવિશેષતાઓ !

ત્રિપાદગાયત્રીમાં શ્‍વાસ લેતી વેળાએ પ્રથમ પદ, શ્‍વાસ રોકી  રાખીને બીજું પદ અને શ્‍વાસ છોડતી વેળાએ ત્રીજું પદ મનમાં બોલીએ કે, પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ ૧:૪:૨ હોય, તેવો પ્રાણાયામ પણ થાય છે.

વીર્યવાન, બુદ્ધિસંપન્‍ન, મહાતેજસ્‍વી અને મહાબલી હનુમાન !

અંજનીમાતાએ ગર્જના કરીને પોતાના સ્‍તનમાંથી દૂધની સેર છોડી, જેથી તે સમયે સામેની પત્‍થરની ભીંતને ભેદીને તેના ત્રણ ટુકડા થયા. પોતાના ચોટલાને લંકા ફરતે વીંટાળીને લંકાને ઉપાડીને દેખાડી. ત્‍યારે પ્રભુ શ્રીરામચંદ્ર સમેત સહુ અચંબો પામ્‍યા. તેમણે અંજનીમાતાની પ્રશંસા કરી.

શ્રેષ્‍ઠ ગણેશભક્ત મોરયા ગોસાવી અને ગાણપત્‍ય સંપ્રદાય

એક દિવસે મંગલમૂર્તિએ તેમના સ્‍વપ્નમાં આવીને કહ્યું, ‘તું આટલે દૂર આવીશ નહીં. કર્‌હા નદીમાં હું છું. ત્‍યાંથી મને બહાર કાઢ અને તારા ઘરે લઈ જા.’ આ દૃષ્‍ટાંત પ્રમાણે મોરયાએ કર્‌હા નદીમાંની શ્રી ગણેશમૂર્તિ પોતાના ચિંચવડ ખાતેના ઘરે લઈ આવીને તેની પ્રતિષ્‍ઠાપના કરી.

રુદ્રાવતાર હનુમાન

હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્‍ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્‍ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે.

‘રામથી મોટું રામનું નામ’ આ વચન સાર્થક કરનારા ભક્ત શિરોમણિ હનુમાન !

ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામ અયોધ્‍યામાં રાજ કરી રહ્યા હતા. ત્‍યારે કાશીનરેશ સૌભદ્નના મનમાં પ્રભુ શ્રીરામને મળવા માટે ઇચ્‍છા જાગૃત થઈ. તેજ વેળાએ મહર્ષિ વિશ્‍વામિત્રના મનમાં પણ પ્રભુ શ્રીરામને મળવાની ઇચ્‍છા નિર્માણ થઈ.

દત્ત ભગવાનની વિવિધ ગુણવિશેષતાઓ

દત્તગુરુદેવના ચરણોમાં કૃતજ્ઞતાભાવથી મસ્‍તક નમાવીને સંપૂર્ણ રીતે તેમના શરણે જઈને આગળ આપ્‍યા પ્રમાણે પ્રાર્થના કરીએ. હે દત્તગુરુદેવ, આપ જ અમારો ઉદ્ધાર કરશો અને અમારા પર દયા કરીને  અમારામાં ભક્તિભાવ નિર્માણ કરશો.